સત્ય
સાચા અને ખોટાની પસન્દગીમાં હમેશા અટવાઈ જવાય છે
મન અને મગજ ક્યારેય એક બાજુ સ્થિર રહ્યું જ ક્યાં છે
માણસ પરિસ્થિતિ પ્રમાણે બદલાય એ વાત સાચી ,
પણ સત્ય તો સાશ્વત હોય છે ને તો એ કેમ દરેક દ્રષ્ટિ સાથે બદલાતું રહેતું હોય છે ?
એક જ વ્યક્તિ બીજા દરેક વ્યક્તિ ના વિચારો પ્રમાણે સાચો અને ખોટો બની જતો હોય છે
અને માટે જ આ તમામ પરિસ્થિતિમાં બસ એક જ સત્ય રહેતું હોય છે ,
પોતાના અસ્તિત્વનું સત્ય
પોતાના ઈરાદાઓનું સત્ય
માણસ પોતે જ પોતાની સાક્ષી પુરી શકે છે
Comments
Post a Comment